Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોરોનાના લોકડાઉન વખતે બન્યો હતો બનાવઃ
જામનગર તા. ૧૩: જામનગરમાં કોરોનાકાળ વખતે લાદવામાં આવેલા લોકડાઉનમાં ગુલાબનગર સ્થિત સસ્તા અનાજની દુકાને રાશન લેવા ગયેલા પરિવાર પર દુકાનદાર સહિત આઠ વ્યક્તિએ હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને એક-એક વર્ષની કેદની સજા ફટકારી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા જયેશભાઈ દામજીભાઈ નકુમ અને તેમના પરિવારજનો કોરોનાકાળ દરમિયાન ગુલાબનગરમાં સસ્તા અનાજની દુકાન ચલાવતા દિલીપગીરી ગોસ્વામી પાસે રાશનનો માલ લેવા માટે ગયા હતા. તે વેળાએ ચાલી રહેલા કોરોનાકાળના કારણે રાત્રે જયેશભાઈ માલ લેવા પહોંચ્યા હતા.
આ વેળાએ રાશન કાર્ડમાં જયેશભાઈના પિતા દામજીભાઈનો જ અંગુઠો માર્યાે હોવાનું કહ્યા પછી બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને દુકાનદાર દિલીપગીરી તેમજ હિતેશગીરી, ચિરાગગીરી, નરેશ જેઠવાણી, સુરેશ જેઠવા, જય નડિયાપરા, સુભાષ મારૂ., મનિષ છૈયાએ ઉશ્કેરાઈને જયેશ તથા તેમના પત્ની અંબિકાબેન સહિતના વ્યક્તિઓ પર લાકડી-પાઈપથી હુમલો કર્યાની ગઈ તા.૨૦-પ-૨૦ના દિવસે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.
ઉપરોક્ત કેસ અદાલતમાં ચાલી જતાં આરોપીઓ સામે કરવામાં આવેલી દલીલો તેમજ સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ અદાલતે આરોપીઓને એક-એક વર્ષની કેદ તથા રૂ.૧ હજારનો દંડ ફટકાર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial