Advertisement
Author: નોબત સમાચાર

શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત જામનગરના હોદ્દેદારોની સર્વાનુમત્તે વરણી

જ્ઞાતિની વર્ષ ર૦રપ ની સામાન્ય સભા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૩: જામનગરની શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્તની તાજેતરમાં સામાન્ય સભા મળી હતી, જેમાં બહોળી સંખ્યામાં જ્ઞાતિજનોની ઉપસ્થિતિ રહી હતી. આ સામાન્ય સભામાં સર્વાનુમત્તે ઠરાવ પસાર કરીને નવા કારોબારી સભ્યોની પસંદગી શારદીય નવરાત્રિના પ્રથમ નોરતાના શુભ દિને કરવામાં આવી હતી.

જેમાં શ્રી ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ પ૦પ સમસ્ત, જામનગરના પ્રમુખ તરીકે શરદભાઈ શાંતિલાલ વાયડા, ઉપપ્રમુખ તરીકે પ્રવિણભાઈ જે. દવે, વહીવટી મંત્રી તરીકે વિવેકભાઈ રશ્મિકાંત પાઢિયા, ખજાનચી તરીકે વિશાલભાઈ એ. મીન, સંગઠન મંત્રી તરીકે ઋષિકેશભાઈ આર. પુરોહિત, ઈન્ટરનલ ઓડિટર તરીકે નીરવ નંદકિશોરભાઈ મીન તેમજ કારોબારી સભ્યશ્રીઓમાં દર્શનભાઈ એન. ઠાકર, ભાવેશભાઈ એન. ઠાકર, નલીનભાઈ વી. દવે, કિરણભાઈ કે. વાયડા, સૌરભભાઈ એન. ઠાકરની વરણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh