Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન સાથેના યુદ્ધનો છઠ્ઠો દિવસઃ ઈઝરાયલની અર્થ- વ્યવસ્થા ડામાડોળઃ ર૭ હજાર કરોડ રૂપિયાનું આંધણ

નાણામંત્રાલય ખાધ ઘટાડવા પ્રતિબંધો હળવા કરી શકે

                                                                                                                                                                                                      

તેલઆવીવ તા. પઃ ઈરાન સાથેના છ દિવસના યુદ્ધમાં ઈઝરાયલે ર૭,૦૦૦ કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનો અંદાજ મૂકાઈ રહ્યો છે, અને આ ખાધ ઘટાડવા ઈઝરાયલનું નાણા મંત્રાલય પ્રતિબંધો હળવા કરવાનું વિચારી રહ્યું છે.

ઈરાન-ઈઝરાયલ યુદ્ધને છ દિવસ થઈ ગયા છે. બન્ને દેશો સતત એકબીજા પર હુમલો કરી રહ્યા છે. આ યુદ્ધમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે, છતાં યુદ્ધને સમાપ્ત કરવા માટે બન્નેમાંથી કોઈ એક દેશ દ્વારા કોઈ પહેલ કરવામાં આવી નથી.

અમેરિકા અને ઈઝરાયલ બન્ને સંયુક્ત રીતે ઈરાન પર હુમલો કરી રહ્યા છે, જ્યારે ઈરાન એકલા જ બદલો લઈ રહ્યું છે. ઈરાન સાથેના હવાઈ હુમલાઓએ ઈઝરાયલના અર્થતંત્રને નોંધપાત્ર નુક્સાન પહોંચાડ્યું છે. ઈઝરાયલના નાણા મંત્રાલયે જણાવ્યું છે કે, ઈરાન સાથે ચાલી રહેલા હવાઈ યુદ્ધથી દેશની અર્થવ્યવસ્થાને દર અઠવાડિયે ૯ બિલિયન શેકેલ (આશરે ર.૯૩ બિલિયન ડોલર) થી વધુનું નુક્સાન થઈ શકે છે.

આનો અર્થ એ છે કે, ઈઝરાયલ નોંધપાત્ર નુક્સાન ભોગવી રહ્યું છે. જો યુદ્ધ સતત ચાલુ રહે તો આ નુકસાન વધી શકે છે. યુદ્ધ દેશના અન્ય પાસાઓ પર પણ સીધી અસર કરી રહ્યું છે. ઈઝરાલયના હોમ ફ્રન્ટ કમાન્ડે હાલમાં દેશભરમાં અનેક કડક પ્રતિબંધો લાદ્યા છે.

આ પ્રતિબંધો કામ પર જવાની મંજુરી આપતા લોકોની સંખ્યાને મર્યાદિત કરે છે, શાળાઓ બંધ છે, અને અનામત સૈનિકોને મોટા પાયે તૈનાત કરવામાં આવી રહ્યા છે. આવશ્યક સેવાઓ સિવાય મોટાભાગના વ્યવસાયો મોટભાગના વિસ્તારોમાં બંધ છે. મોટાભાગના કર્મચારીઓ ઘરેથી કામ કરી રહ્યા છે. યુદ્ધને કારણે જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ કડક પ્રતિબંધોને કારણે આવતા અઠવાડિયાથી દર અઠવાડિયે આશરે ૯.૪ અબર શેકેલનું નુક્સાન થવાની ધારણા છે. નાણા મંત્રાલયે ગૃહમંત્રાલયને લાલ રંગથી નારંગી (ઓછી કડક) પ્રતિબંધો ઘટાડવાનો આદેશ આપ્યો છે. જો આવું આગામી એકથી બે દિવસમાં થાય તો કાર્યકારી કચેરીઓમાં થોડી છૂટછાટ આપવામાં આવી શકે છે. યુદ્ધથી પ્રભાવિત થયેલા કામ અને ઘરેથી કામ પૂર્ણ કરી શકાય છે. આનાથી આર્થિક નુક્સાન દર અઠવાડિયે આશરે ૪.૩ અબજ શેકેલ થઈ શકે છે, જો કે પ્રતિબંધો હળવા કરવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ આદેશ જારી કરવામાં આવ્યો નથી.

ઈઝરાયલની અર્થવ્યવસ્થા ખરાબ સ્થિતિમાં નથી. હમાસ સાથેના યુદ્ધ દરમિયાન પણ તેની ગંભીર અસર પડી હતી અને નુક્સાન હજુ સુધી ભરપાઈ થયું નથી. આમ છતાં ર૦રપ માં દેશની અર્થવ્યવસ્થા ૩.૧ ટકાના દરે વૃદ્ધિ પામી હતી. ઓક્ટોબરમાં યુદ્વવિરામ પછી ર૦ર૬ માં વૃદ્ધિ પાંચ ટકાથી વધુ થવાની ધારણા કરી હતી, જો કે ઈરાન સાથે વધતા સંઘર્ષે ફરીથી આર્થિક અંદાજો પર અનિશ્ચિતતા ફેલાવી છે, જેના કારણે નાણા મંત્રાલય પોતાની રીતે કામ કરી રહ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh