Advertisement
Author: નોબત સમાચાર

પૂ. વસંતરાયજી મહારાજના વચનામૃત, માલા પહેરામણી તથા યમુનાજીનો લોટી ઉત્સવ

સોનેચા પરિવાર દ્વારા 'સેવા કિર્તન સંગતિ સત્સંગ' કાર્યક્રમનું આયોજન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગરમાં ગો.વા.મેઘજીભાઇ જેસંગભાઇ સોનેચા પરિવાર દ્વારા તા. ૨૯ થી ૩૧ ઓક્ટોબર દરમ્યાન લેઉવા પટેલ સમાજ જામનગરમાં 'સેવા કીર્તન સંગતિ સત્સંગ' કાર્યક્રમ અંતર્ગત પુષ્ટી માર્ગીય ધર્મોત્સવ અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.   પોરબંદર - મથુરાનાં પૂ.પા.ગો.શ્રી વસંતરાયજી મહારાજનાં સાંનિધ્યમાં ધર્મોત્સવ યોજાશે. જે અંતર્ગત તા. ૨૯/૧૦ થી ૩૧/૧૦ પ્રતિદિન બપોરે ૩:૪૫ થી સાંજે ૭ દરમ્યાન બાવાશ્રીનાં વચનામૃતનો કાર્યક્રમ યોજાશે.

તા. ૩૧/૧૦ નાં  સાંજે ૫:૩૦ કલાકે ગૌ. વા. વલ્લભદાસ મેઘજીભાઇ સોનેચાનો મંગલ માલા પધરામણી મનોરથ યોજાશે.

અન્ય મનોરથોમાં તા. ૨૯/૧૦ નાં સાંજે ૭:૩૦ કલાકે દિપદાન - હાટડી મનોરથ, તા. ૩૦/૧૦ નાં સાંજે ૭/૩૦ કલાકે ચાર દુના (અન્નકૂટ) મનોરથ તથા  તા. ૩૧/૧૦ નાં રાત્રે ૭:૩૦ કલાકે  શ્રી યમુનાજીનાં ઘાટ પર મનોરથ યોજાશે.  સમગ્ર ત્રિદિવસીય ધર્મોત્સવમાં પ્રતિદિન સાંજે ૮ કલાકે વૈષ્ણવો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh