Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉમેશભાઈ બાબુભાઈ અને હિમાંશુ મહેન્દ્રભાઈ ગોરના આચાર્ય પદે
રાવલ તા. ર૭: સમસ્ત કોટેચા પરિવાર ટ્રસ્ટ પોરબંદરના ઉપક્રમે ભાણવડમાં ભૂતવડ, સુરાપુરા ડાડાની જગ્યામાં પાંચમી ઓક્ટોબર ને રવિવારે હવનવિધિ યોજાશે.
શ્રી સમસ્ત કોટેચા પરિવાર ટ્રસ્ટ, પોરબંદરના ઉપક્રમે પોરબંદરના એડવોકેટ હિતેષભાઈ બાબુલાલ કોટેચાના આર્થિક સહયોગથી આગામી તા. પાંચમી ઓક્ટોબર ને રવિવારે સવારે આઠ વાગ્યાથી ભાણવડમાં આવેલી ભૂતવડ, સુરાપુરા ડાડાની જગ્યામાં હવનવિધિ શરૂ થશે. બીડુ બપોરે ૧ર-૩૦ વાગ્યે હોમાશે અને બપોરે દોઢ વાગ્યે સમૂહપ્રસાદીનો કાર્યક્રમ યોજાશે.
આ હવનવિધિ ઉમેશભાઈ બાબુભાઈ અને હિમાંશુભાઈ મહેન્દ્રભાઈ ગોર (રાવલવાળા)ના આચાર્યપદે સંપન્ન થશે. આ હવનમાં સમસ્ત કોટેચા પરિવાર ટ્રસ્ટના આમંત્રણ મુજબ ગામે-ગામથી કોટેચા પરિવારો ભાગ લેતા હોય છે. આ હવન માટે ટ્રસ્ટના પ્રમુખ કપિલભાઈ જે. કોટેચા, ઉપપ્રમુખ કેશુભાઈ એન. કોટેચા, મંત્રી નીતિનભાઈ એ. કોટેચા, ખજાનચી મુકેશભાઈ બી. કોટેચા, સેક્રેટરી પ્રવિણભાઈ કે. કોટેચા, ટ્રસ્ટીમંડળના સભ્યો, દાતા પરિવાર તથા સમસ્ત કોટેચા પરિવાર જહેમત ઊઠાવી રહ્યા છે.
આ અંગે વિશેષ માહિતી માટે કેશુભાઈ કોટેચા (ભાણવડ), નીતિનભાઈ (દ્વારકા), હિતેષભાઈ (પોરબંદર), વિજયભાઈ (ખંભાળિયા), પ્રફુલ્લભાઈ (પોરબંદર), પ્રિતેશભાઈ કોટેચા (ભાણવડ) નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial