Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના પાનવાડા શહેરી પ્રા. આરોગ્ય કેન્દ્રમાં વિવિધ આરોગ્ય વિષયક નિઃશુલ્ક સેવા

આરોગ્ય ટીમના તબીબો આપી રહ્યા છે સેવાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: તાજેતરમાં ૧૭ સપ્ટેમ્બરના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ૭૫મા જન્મદિવસ નિમિતે ગુજરાત સહિત સમગ્ર દેશમાં સ્વસ્થ નારી, સશક્ત પરિવાર અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત જામનગરમાં પણ વિવિધ આરોગ્ય વિષયક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જામનગર શહેરમાં આવેલ પાનવાડા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સવારે ૯ વાગ્યાથી જ મહા મમતા દિવસની ઉજવણીના ભાગરૂ.પે સગર્ભાઓનું ટીડી રસીકરણ કરવામાં આવી રહૃાું છે. આ ઉપરાંત અયુષ્માન ભારત- પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતગર્ત લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ કાઢી આપવાના કેમ્પનું આયોજન તથા ટીબી રોગ અંગે જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો બહોળા પ્રમાણમાં લાભાર્થી મહિલાઓ અને બાળકો લાભ લઇ રહૃાા છે. અહીં, આરોગ્ય વિભાગની ટીમના ૧૫ થી ૨૦ જેટલા ડોકટરો દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh