Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયામાં ઉથલી પડેલા માછીમારનું મૃત્યુ
જામનગર તા. ૩: કાલાવડના ઝાલણસરમાં ગઈકાલે ખેતરમાં કામ કરતા એક ખેડૂતનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે. ઓખાના આર.કે. બંદર પર લઘુશંકા કરવા રાત્રે ઉંઘમાંથી ઉઠેલા માછીમાર કોઈ રીતે દરિયામાં પડી ગયા પછી ડૂબી ગયા છે.
કાલાવડ તાલુકાના ઝાલણસર ગામમાં રહેતા મનસુખભાઈ હીરાભાઈ વૈષ્ણવ (ઉ.વ.૫૩) તથા તેમના નાનાભાઈ રમેશભાઈ વૈષ્ણવ ગઈકાલે સવારે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે સાતી ફીટ કરતા હતા.
આ વેળાએ મનસુખ ભાઈને છાતીમાં દુખાવો ઉપડતા તેઓને સારવાર માટે ખાનગી વાહનમાં કાલાવડની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યું છે. રમેશભાઈ વૈષ્ણવે પોલીસને જાણ કરી છે.
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વતની કાલીદાસ રવજીભાઈ હડપતી (ઉ.વ.પ૪) નામના પ્રૌઢ માછીમારી માટે ઓખાના આર.કે. બંદર પર આવ્યા પછી ધનલક્ષ્મી નામની બોટમાં રવિવારની રાત્રે સૂતા હતા ત્યારે લઘુશંકા કરવા માટે ઉઠયા પછી કોઈ રીતે દરિયામાં પડી જતા ડૂબી જઈ મૃત્યુ પામ્યા છે. દયાળજીભાઈ સરવતભાઈ ટંડેલે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial