Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના કૃષ્ણભક્તે આંખે પાટા બાંધી ત્રણ દિવસમાં પૂરી કરી દ્વારકાની પદયાત્રા

બાકી બધું યે ખોટું, એક તારો મારગ હાચોઃ

                                                                                                                                                                                                      

કરોડો સનામતધર્મીઓની આસ્થાના પ્રતીકસમા દ્વારકાધીશ મંદિરે દર વર્ષે લાખો ભાવિકો ઠાકોરજીને માથુ ટેકવવા આવતા હોય છે. આ વખતના ફૂલડોલ ઉત્સવમાં સહભાગી થવા હજારો ભાવિકો દ્વારકા આવવા પગપાળા નીકળી રહ્યા છે ત્યારે બોટાદના સંજયની જેમ જામનગરના કૃષ્ણભક્તે આંખે પાટા બાંધી દ્વારકા યાત્રાધામની પગપાળા યાત્રા શરૂ કરી હતી .ત્રણ દિવસ પછી દ્વારકા પહોંચી કાનદાસ બાપુના આશ્રમથી આંખે પાટા સાથે હાથ જોડી દંડવટ કરીને જગતમંદિર સુધીની યાત્રા સંપન્ન કરી હતી. સહયોગી પરિવારજનો અને મિત્રમંડળના સથવારે દ્વારકાધીશ મંદિરે ઠાકોરજીના દરબારમાં પહોંચી શ્રીજીના દર્શન કરી કઠોર તપસ્યા સમાન અનોખી પદયાત્રા પૂર્ણ કરી હતી. તેમણે કહ્યું હતું કે 'બાકી તો બધુંયે ખોટું, એક તારો મારગ હાચો'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh