Advertisement
Author: નોબત સમાચાર

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આવતીકાલે શેખપાટમાં 'સ્વચ્છોત્સવ' કાર્યક્રમ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૭: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જામનટર તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છોત્સવનું આયોજન તા. ર૮ ને સવારે ૯ વાગ્યે કોળી સમજાની વાડી, નવાપરા વિસ્તાર, શેખપાટ ગામ, જામનગરમાં કરવામાં આવ્યું છે. મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીએ સમગ્ર દેશમાં પ્રારંભ કરાયેલા સ્વચ્છ ભારત મિશનને ૧૧ વર્ષ પૂર્ણ થતા તથા સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, આ ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ મયીબેન ગરસર, ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, હેમતભાઈ ખવા અને જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતાબેન દુધાગરા ઉપસ્થિત રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh