Advertisement
Author: નોબત સમાચાર

કિલેશ્વર પાસે ચાર વ્યક્તિ તણાયાઃ બચાવ

બે જુદા જુદા સ્થળે પૂરના પાણીમાં

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૨: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના કિલેશ્વર પાસે ચાર વ્યક્તિ તણાયા જેનો બચાવ થયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડના કિલેશ્વરના પ્રાચીન મંદિરે હાલ શ્રાવણ માસ ચાલતો હોય, મોટા પ્રમાણમાં ભાવિકો દર્શનાર્થે જતા હોય, તાજેતરમાં પડેલા ભારે વરસાદમાં પૂર આવતા બે સ્થળે ચાર વ્યક્તિ તણાઈ જવાના બનાવો બન્યા હતા. જેમાં તમામનો બચાવ થયો હતો.

કિલેશ્વર મંદિર પાસે એક દંપતિ દર્શન કરવા માટે જતુ હતું ત્યારે નદી કીલગંગા પાસેના રેવતી કુંડની ઉપરની નદીમાં પૂર આવતા પુલ પરથી નીકળવા જતા દંપતિ પુલ પરથી નીચે રેવતી કુંડમાં પડી ગયું હતું. તેમની બચાવો ની બૂમ સાંભળીને ત્યાં ટ્રાફિક વ્યવસ્થામાં રોકાયેલા વન વિભાગના કર્મચારીઓ દ્વારા દોરડાની મદદથી રેસ્ક્યુ કરીને આ દંપતિને બચાવાયું હતું. તથા બંનેને રેવતી કુંડમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

અન્ય એક બનાવમાં કિલેશ્વર આવતા રસ્તામાં કોઝવે પાસે ચેકડેમ પરથી પૂર નીકળતા એક બાઈકમાં બે વ્યક્તિઓ સવાર હતા તે પણ તણાયા હતા. સદભાગ્યે બંનેનો બચાવ થયો હતો. હાલ કિલેશ્વર જતા રસ્તા પર અનેક સ્થળેે પાણી વહી રહ્યું છે, જેમાં ઉપરવાસમાં વરસાદ થતા પૂર આવતા અનેક સ્થળે રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી વધતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh