Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્વાસની બીમારીએ યુવાનનો ભોગ લીધોઃ
જામનગર તા. ૧૯: જામનગરના નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી લીધી છે.
જામનગર શહેરના નાગેશ્વર કોલોની ભવાની માતા મંદિર પાસે શેરી નં.૪માં રહેતા ભીખાભાઈ ચીથરભાઈ પરમાર (ઉ.વ.૪૧)એ ગઈકાલે સવારે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગેની જાણ થતાં જ પીએસઆઈ જે.પી. સોઢા દોડી ગયા હતા અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. જેમાં એવું કારણ જાણવા મળ્યું હતું કે, ભીખાભાઈને છેલ્લા પંદર વર્ષથી ટીબી અને શ્વાસની બીમારી હતી જેની સારવાર કરાવવા છતાં તબીયત સારી નહીં થતાં તેમણે આ પગલું ભર્યું હતું.
જામનગર તાલુકાના રામનગરમાં રહેતા દિલીપભાઈ ચનાભાઈ મોલીયા (ઉ.વ.પર)ને શ્વાસની બીમારી હોય. ગત તા.ર૭ના તેમની તબીયત વધુ લથડતા સારવાર માટે સાલીગ્રામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું છે.
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બાલવા ગામમાં ખેડૂતની વાડીમાં રહીને ખેતીકામ કરતા મૂળ દાહોદ પંથકના મહેશભાઈ દલસીંગભાઈ કટારા (ઉ.વ.૪૦) ગત તા.૯ના વાડીના વાવેતર પર જંતુનાશક દવાનો છંટકાવ કરતા હતા. આ સમયે તેમને ઝેરી દવાની વિપરીત અસર થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial