Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની ઘી નદીમાં અતિશય ગંદકી, ઉકરડા, કચરા તથા ગાંડી વેલનું સામ્રાજ્ય

ઘી નદીને સ્વચ્છ કરવા માગણીઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. રરઃ ખંભાળિયાની ઘી નદીમાં અતિશય ગંદકી, ઉકરડા, કચરા અને ગાંડીવેલનું સામ્રાજ્ય ફેલાયેલું હોય, આ નદીને સ્વચ્છ કરવા માગણી ઊઠવા પામી છે.

ઘી નદી ગંદકી અને કચરા અને ગાંડી વેલના ઉકરડા સમાન હોય, આ નદીમાં રહેતુ પાણી અનેક કૂવા બોરના પાણીનો સ્ત્રોત હોય તથા ઘી નદીની આવી દશા જોઈને લોકો ખૂબ નારાજ થાય છે.

સામાન્ય રીતે અડધું ચોમાસુ વીતે ત્યાં સુધીમાં તો ખંભાળિયામાં ૪૦-પ૦ ઈંચ વરસાદ પડી ચૂક્યો હોય, પણ આ વખતે માત્ર ૧૭ ઈંચ જ વરસાદ પડતા તથા ઘી નદીના પાટિયા ખુલ્લા હોય, નદી તો ખાલી છે. અધુરામાં પૂરૃં આખી નદી ખાલી સ્થિતિમાં પણ ગાંડીવેલના ઢગલાથી ભરપૂર છે તથા ઠેર ઠેર ગંદકીના ઢગલા પડ્યા છે.

ઘી નદીમાં ઉપરવાસ ડેમ પણ ખાલી છે, જ્યારે પાલિકા તંત્ર દ્વારા જેસીબી, હિટાચી મશીનો રાખીને હાલ વરસાદ ઓછો છે ત્યારે નદીમાં સાફસફાઈ કરવા માગ કરાઈ છે. જેથી આગામી સમયમાં વરસાદ આવે તો ઘી નદી ભરાઈ જાય અને જળસ્ત્રોતો જીવંત રહે. જે નદી પર ૪૦-૪પ કરોડની રીવર ફ્રન્ટ યોજના બનવાની છે ત્યાં આવી ઉકરડાના ઢગલાની સ્થિતિ હોય, તાકીદે નદીમાંથી ગંદકી સાફ કરવા માગણી કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh