Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઘરેથી દ્વારકા તરફ જતાં રસ્તામાં કાળ આંબ્યોઃ
જામનગર તા. ૨૨: દ્વારકામાં રહેતા વૃદ્ધ ગઈકાલે મોટરસાયકલ લઈને જતા હતા ત્યારે નદીના પાણીના વહેણમાં તણાઈ જતા ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
દ્વારકામાં સુરભિ ગૌશાળા ભાવડા રોડ પર રહેતા વિરજીભાઈ મનજીભાઈ નકુમ નામના સાંઈઠ વર્ષના વૃદ્ધ ગઈકાલે બપોરે દ્વારકાથી ચારેક કિ.મી. દૂર વુનાકુલ પાસે (ચપલીયા પુલ) નદીમાંથી બાઈક લઈ પસાર થતા હતા ત્યારે પાણીના વહેણમાં તેઓ તણાઈ ગયા હતા અને ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગે દેવરાજભાઈ વિરજીભાઈ નકુમે પોલીસમાં જાણ કરતા એએસઆઈ જયેન્દ્રસિંહ જે. જાડેજાએ તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial