Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સતત ત્રણ દિવસથી ધ્રુજારી અનુભવતા લોકોઃ
જામનગર તા. ૯: દેવભૂમિ દ્વારકા જિલલાના ભાણવડ પંથકમાં ગઈકાલે માત્ર પાંચ મિનિટના અંતરે ધરતીકંપના બે આંચકા અનુભવાયા હતાં, જેની તીવ્રતા ર.૩ ની નોંધાઈ છે.
ભાણવડમાં છેલ્લા ત્રણેક દિવસથી ભૂકંપના આંચકા જેવો અનુભવ લોકો કરી રહ્યા છે, જો કે તે ભૂકંપના નહીં હોવાનું સંબંધિત વિભાગે જાહેર કર્યું હતું, પરંતુ ગઈકાલે સાંજે ૭-૩ર અને ૭-૩૭ એમ બે વખત ધરતીમાં કંપન અનુભવાયું હતું. આથી લોકો ઘરની બહાર દોડી ગયા હતાં.
ગઈકાલે આવલ આંચકા ભૂકંપના હતાં જેની તીવ્રતા ર.૩ ની નોંધાઈ છે, અને તેનું કેન્દ્રબિંદુ પોરબંદરથી ૩૭ કિ.મી. દૂર નોંધાયું છે.
જો આમ ભાણવડ પંથકમાં સતત ત્રણેક દિવસથી અનુભવાતી ધ્રુજારીના કારણે લોકો પણ ભયભીત બન્યા છે. તેમાં પણ ગઈકાલે એક જ દિવસમાં બે વખત ભૂકંપના આંચકા અનુભવાતા ચર્ચા જાગી છે, અને લોકોમાં ભય જોવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial