Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તણખો ઝર્યા પછી ઝાડ પણ સળગી ઉઠ્યું:
જામનગર તા. ૬: જામનગરના ખોડિયાર કોલોની નજીકના મંદિર પાસે એક ઝાડની ડાળીઓ કાપવા માટે ગઈકાલે સાંજે ભાણખોખરી ગામના એક યુવાન ચઢ્યા પછી બાજુમાંથી પસાર થતી હેવી વીજલાઈનમાંથી આ યુવાનને કરંટ લાગ્યા પછી આગ ભભૂકી હતી. ભડથું થઈ ગયેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે તેના પિતાનું નિવેદન નોંધ્યું છે.
જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારથી આગળ આવેલી ચેમ્બર કોલોનીમાં અમરનાથ મહાદેવ મંદિર પાસે ગઈકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના ભાણખોખરી ગામના કિરણભાઈ બાબુભાઈ ચાવડા (ઉ.વ.ર૬) નામના કોળી યુવાન ઝાડ કાપવા માટે આવ્યા હતા.
આ યુવાન ગઈકાલે સાંજે મંદિર નજીક આવેલા ઝાડ પર ડાળીઓ કાપવા માટે ચઢયા પછી કોઈ રીતે તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. ઝાડની બાજુમાંથી પસાર થતી હેવી વીજલાઈનમાંથી આંચકો લાગ્યા પછી તણખા ઝર્યા હતા અને ઝાડમાં આગ લાગી ગઈ હતી. આ યુવાન આગમાં ભડથું થઈને પટકાઈ પડ્યો હતો.
સ્થળ પર હાજર વ્યક્તિઓએ પોલીસ તથા ફાયરબ્રિગેડને જાણ કરતા બંને પહોંચી ગયા હતા અને જેટકોની ટીમ પણ આવી પહોંચી હતી. ત્યાં વીજ પુરવઠો રોકાવ્યા પછી કાર્યવાહી હાથ ધરાઈ હતી. મૃતકના પિતા બાબુભાઈ જેઠાભાઈ ચાવડાનું પોલીસે નિવેદન નોંધી આગળની કાર્યવાહી કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial