Advertisement
Author: નોબત સમાચાર

તળાવમાં પૂજાપો પધરાવવા જતી વખતે પગ લપસી જતાં ડૂબી ગયેલા યુવાનનું મૃત્યુ

કાલાવડના રાજસ્થળી પાસે બાઈકચાલક પર કાળનો પંજોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના રણમલ તળાવમાં એકાદ મહિના પહેલા પૂજાપો પધરાવવા ગયેલા એક યુવાન અકસ્માતે લપસી પડ્યા પછી ડૂબી જઈ મોતને શરણ થયા છે. જ્યારે રાજકોટથી બાઈક પર કાલાવડ આવી રહેલા યુવાનનું કોઈ રીતે મૃત્યુ નિપજ્યું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૪૯માં હનુમાન ટેકરી સ્થિત કામળીયાવાસમાં રહેતા સુરેશભાઈ બટુકભાઈ વાઘેલા (ઉ.વ.૪૦) નામના દેવીપૂજક યુવાન ગઈ તા.૧૦ ઓકટોબરની સવારે પોતાના ઘરેથી મંદિરનો કેટલોક પૂજાપો પધરાવવા માટે રણમલ તળાવની પાળ પર આવ્યા હતા.

આ યુવાન પાછલા તળાવના ભાગમાં પહોંચી ત્યાંથી પૂજાપો પાણીમાં પધરાવતા હતા ત્યારે કોઈ રીતે લપસીને તળાવમાં ગારદ થઈ ગયા હતા. તેની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવી હતી. ત્યારપછી સુરેશભાઈને બહાર કાઢી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પત્ની પાનીબેન વાઘેલા એ પોલીસને જાણ કરી છે.

કાલાવડ શહેરમાં વસવાટ કરતા કુલદીપસિંગ કરણસિંગ શીખ (ઉ.વ.ર૬) નામના યુવાન ગયા રવિવારે રાત્રે બારેક વાગ્યે રાજકોટમાંથી બાઈક પર પોતાના ભાણેજ અર્જુનના ઘરે જવા માટે રવાના થયા હતા.

તેઓ જ્યારે રાજકોટ-કાલાવડ ધોરીમાર્ગ પર રાજસ્થળી ગામના પાટીયા પાસે પહોંચ્યા ત્યારે કોઈ રીતે મૃત્યુ પામ્યા છે. તેમના મોટાભાઈ અને કાલાવડમાં તાળા-ચાવીનો વ્યવસાય કરતા ભૂપેન્દ્રસિંગ કરણસિંગે પોલીસને જાણ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh