Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મંત્રી મૂળુભાઈ બેરા અને અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ
ખંભાળીયા તા. ૨૪: ખંભાળીયા શહેરમાં અનેક પ્રાચીન શિવમંદિરો આવેલા હોય, જયાં શ્રાવણ માસમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટતા હોય, ખંભાળીયાના ધારાસભ્ય તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા તથા પાલિકા પ્રમુખ રચનાબેન મોટાણી, ચીફ ઓફિસર રાહુલભાઈ કરમુરના માર્ગદર્શનમાં ગઈકાલથી જ પાલિકા સફાઈ વિભાગના વડા સંજયભાઈ કરમુર દ્વારા શિવમંદિરોની આસપાસ સફાઈ અંગે વિશેષ કાર્ય શરૂ કરાયું હતું.
ખંભાળીયામાં મહાદેવ વાડા વિસ્તાર, ભિમાશંકર મહાદેવ, કોટેશ્વર મહાદેવ, સિદ્ધનાથ મહાદેવ, નર્મદેશ્વર મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ તથા મહાદેવ વાડા વિસ્તારમાં જવાના રસ્તા પર જેસીબી તથા ટ્રેકટરોથી ગંદકી-કચરો દૂર કરીને રસ્તો સફાઈ કરાવીને રોજ આ વિસ્તારમાં સવાર-સાંજ સફાઈ અંગે પણ આયોજન ગોઠવ્યું છે.
ખંભાળીયામાં ધારાસભ્ય તથા રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરાના માર્ગદર્શનમાં જિલ્લા ભાજપ મહામંત્રી રસીકભાઈ નકુમ તથા શહેર ભાજપ પ્રમુખ મિલન કિરતસાતાની આગેવાની હેઠળ ખંભાળીયા પાલિકાના સાતેય વોર્ડમાં ખાસ ઈન્ચાર્જો નીમી સફાઈ અભિયાન સાથે વ્યવસ્થિત કામગીરી, રોજ સફાઈ કર્મીઓની હાજરી, નિયમિતતા તથા કામગીરી ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઈન્ચાર્જો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સુપરવિઝન સાથે લોકોને મળીને તેમના ગંદકી-સફાઈ અંગેના સૂચનો તથા ફરિયાદો અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial