Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
 
                                                    લોહાણા મહાજન દ્વારા વિશેષ પૂજન-અર્ચનવિધિઃ
જોડીયા તા. ૩૧ઃ જામનગર જિલ્લાના જોડીયામાં આવેલ લોહાણા મહાજન વાડીમાં સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૬મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોહાણા મહાજન દ્વારા શ્રી જલારામ મંદિરમાં વિશેષ પૂજન-અર્ચન વિધિ કરવામાં આવી હતી. ત્યાર પછી પ.પૂ. સંતશ્રી જલારામબાપાની ઢોલ-નગારા અને ઝાલર સાથે દીપમાળાથી મહાઆરતી વિમલભાઈ પૂજારી દ્વારા કરવામાં આવી હતી. લોહાણાની નાત તથા ભાવિકો માટે મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. આ પાવન પ્રસંગે જલારામ મંદિરને રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે લોહાણા મહાજનના પ્રમુખ પંકજભાઈ રાયમગીયા, ઉપપ્રમુખ નાનુભાઈ ચંદારાણા, મંત્રી ભરતભાઈ ગણાત્રા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial
 
  