Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧-૪-૨૫ થી તા. ૩૧-૫-૨૫ સુધીમાં
જામનગર તા. ૨૭: જામનગર જિલ્લાના ડુંગળી પકવતા ખેડૂતોને જણાવવાનું કે રાજય સરકાર દ્વારા ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે એક મહત્ત્વની યોજના શરૂ કરવામાં આવી છે. જે ખેડૂતોએ રાજ્યની કોઈપણ એ.પી.એમ.સી.માં તા. ૧-૪-૨૫ થી તા. ૩૧-૫-૨૫ના સમયગાળામાં પોતાના ખેતરમાં ઉત્પાદિત ડુંગળીનું વેચાણ કરેલ હોય, તેમને આ સહાય મળવાપાત્ર છે. આ સમયગાળા દરમ્યાન બજારમાં ડુંગળીના ભાવ ગત વર્ષની સરખામણીમાં ઓછા મળેલ હોવાથી ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ રૂ. ૨૦૦ લેખે સહાય આપવામાં આવશે, તે મહત્તમ ૨૫,૦૦૦ કિલો (૨૫૦ ક્વિન્ટલ) ડુંગળીના વેચાણ સુધી, એટલે કે, મહત્તમ રૂ. ૫૦,૦૦૦ સુધીની મળવાપાત્ર રહેશે.
આથી, જામનગર જિલ્લાના જે ખેડૂતોએ આ યોજના હેઠળ લાભ મેળવવા માટે આઈ-ખેડૂત ૨.૦ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરેલી છે, તેમણે તાત્કાલિક ધોરણે રૂબરૂમાં અરજી સાથે જરૂરી સાધનિક કાગળો/દસ્તાવેજો-જેમાં ૭/૧૨ અને ૮અ/વન અધિકાર પત્ર (સનદ), તલાટી કમ મંત્રીનો ડુંગળીના વાવેતર અંગેનો દાખલો, એ.પી.એમ.સી.નો ગેટ એન્ટ્રીનો પુરાવો અને બિલ, આધારકાર્ડ અને બેંક પાસબુકની નકલ સામેલ રાખીને નાયબ બાગાયત શ્રીની કચેરી, રૂમ નં. ૪૮,જિલ્લા સેવા સદન-૪, રાજપાર્ક, જામનગર-૩૬૧૦૦૧ને મોકલી આપવા નાયબ બાગાયત નિયામકશ્રીની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial