Advertisement
Author: નોબત સમાચાર

કારગિલના શહીદો-રાષ્ટ્રની શાન અને અભિયાન વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ

મેરા યુવા ભારત-જામનગર દ્વારા

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: મેરા યુવા ભારત જામનગર દ્વારા કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં યુવાઓએ "કારગિલાના શહીદો-રાષ્ટ્રની શાન અને અભિમાન", કારગિલ યુદ્ધના પ્રેરણાદાયક પ્રસંગો, શહીદ જવાનોના બલિદાન અને દેશપ્રેમ અંગે ભાવનાત્મક પ્રસંગો રજૂ કર્યા હતા.

"મેરા યુવા ભારત" જામનગર દ્વારા આ યુવાનોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત થાય તે હેતુથી કારગિલ વિજય દિવસ નિમિતે જામનગરની નવા નાગના સરકારી હાઈસ્કૂલમાં વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું.

આ સ્પર્ધામાં યુવાઓએ "કારગિલના શહીદો-રાષ્ટ્રની શાન અને અભિમાન", કારગિલ યુદ્ધના પ્રેરણાદાયક પ્રસંગો, શહીદ જવાનોના બલિદાન અને દેશપ્રેમ અંગે ભાવનાત્મક પ્રસંગો રજૂ કર્યા હતા. સ્પર્ધાના મૂલ્યાંકન માટે અતિથિ તરીકે નિવૃત્ત સેનાધિકારીઓ અને શિક્ષકોએ સેવા આપી હતી.

સ્પર્ધામાં વિજેતાઓ તરીકે કટેશીયા ભાવેશ પ્રથમ સ્થાને, વાઘોડીયા પિયુશ દ્વિતીય અને કાંકરિયા દિયા તૃતીય સ્થાને વિજેતા થયા હતા. આ તમામ વિજેતાઓને પ્રમાણપત્રો અને સ્મૃતિચિહ્નો આપી સન્માનિત કરાયા હતા.

ઉલ્લેખનિય છે કે "મેરા યુવા ભારત" ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત એક સંસ્થા છે, જે દેશના યુવાનોમાં રાષ્ટ્રભક્તિ, નેતૃત્વ ક્ષમતા અને સમાજ પ્રતિ જવાબદારીના ભાવને વિકસાવવાનું કાર્ય કરે છે. સમગ્ર કાર્યક્રમ જામનગરના જિલ્લા યુવા અધિકારી સ્વરૂપ મૂળચંદજી દેશભ્રાંતરના માર્ગદર્શન હેઠળ અને વર્ષાબેન પરમાર સહિત સંસ્થાની ટીમ દ્વારા સફળ બનાવાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh