Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં દાખલ
જામનગર તા. ૩૦: જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં આઠથી નવ વર્ષના બાળકને શ્વાને બટકા ભરતા બાળકને હોસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી. અવારનવાર બનતા આવા બનાવોથી સ્થાનિક રહેવાસીઓમાં રોષ ફેલાયો છે.
શહેરના વોર્ડ નંબર ૧ ના જોડિયા ભુંગા વિસ્તારમાં આંગણવાડીવાળા ચોકમાં ગત્ તા. ર૭ ના સાયકલ લઈને જતા આઠેક વર્ષના બાળકને રસ્તે રઝળતા શ્વાને બટકા ભરી લેતા લોહીલુહાણ બનેલા બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. આ અંગે બાળકના પિતાએ આક્રોશ વ્યક્ત કરી જરૂરી પગલાં લેવા માગ કરી છે. આ વિસ્તારના સામાજિક કાર્યકર અનવર સંઘારએ પણ જણાવ્યું છે કે, શ્વાનના ખસીકરણનું કામ યોગ્ય રીતે થતું નથી. માત્ર બીલો બનાવી લેવાતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.
છેલ્લા થોડા સમયમાં આ વિસ્તારમાં ત્રણ લોકોને શ્વાને બટકા ભર્યા છે. હવે તંત્રએ નક્કર કામગીરી કરવી જોઈએ તેવી માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial