Advertisement
Author: નોબત સમાચાર

માતાના ઘરે જવાનું કહી પરિણીતા લાપત્તા

સલાયામાં રહેતા પતિએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

સલાયા તા. ૨: સલાયાના એક પરિણીતા પોતાના માતાના ઘેર આંટો મારવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ જતા તેમના પતિએ  જાણ કરી છે. પોલીસે સપ્તાહ પહેલાં ગુમ થયેલા મહિલાની શોધ આદરી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં કસ્ટમ રોડ પર રહેતા અને વહાણવટીનો વ્યવસાય કરતા અલીઅસગર યાકુબભાઈ કારા નામના એકાવન વર્ષના પ્રૌઢે નસીમબેન (ઉ.વ.૩૮) નામના તેમના પત્ની માતાના ઘેર આંટો મારવા જવાનું કહીને ક્યાંક ચાલ્યા ગયાની પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે.

આ મહિલાએ છેલ્લે કાળા કલરનો ડ્રેસ પહેરેલો હતો. પાંચ ફૂટ ચાર ઈંચ, ઉજળો વાન અને મજબૂત બાંધો ધરાવતા આ મહિલા અંગે કોઈને જાણ થાય તો સલાયા મરીન પોલીસ સ્ટેશનના હે.કો. હસમુખભાઈ ચૌહાણ-૯૫૧૨૧ ૯૯૫૮૮ પર સંપર્ક કરવો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh