Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શરતચૂકથી ખરા માલિકનું નામ નીકળી ગયું હતું:
જામનગર તા. ૫: જોડિયાના તારણા ગામમાં આવેલી એક જમીનમાં ખરા માલિકનું નામ રેવન્યુ રેકર્ડમાંથી શરતચૂકથી નીકળી જતાં તે જમીન વેચનાર આસામીના વારસોએ પોતાનો હક્ક રહે તે માટે કોર્ટમાં દાવો કર્યાે હતો. આ દાવો અદાલતે રદ્દ કર્યાે છે.
જોડિયા તાલુકાના તારાણા ગામમાં રે.સ.નં. ૨૫૪માં આવેલી જમીન શિવુભા ઘેલુભા જાડેજા પાસેથી વર્ષ ૧૯૫૬માં નારણભાઈ બેચરભાઈ વાઘેલાએ જમીન ખરીદી હતી. તેનો દસ્તાવેજ કરાવ્યા પછી રેવન્યુ રેકર્ડમાં નામ ચઢાવ્યું હતું.
નવા પ્રમોલગેશન વખતે રેવન્યુ કચેરીએ કરેલી કામગીરીમાં નારણ બેચરનું નામ શરતચુકથી નીકળી જતા અને ભૂલથી શિવુભા ઘેલુભાનું નામ ચઢી જતાં શિવુભાના વારસોએ જોડીયાની અદાલતમાં પોતાનો માલિકી હક્ક રહે તેવું ઠરાવી આપવા દાવો કર્યાે હતો.
તે દાવા અંતર્ગત નારણ બેચરના વારસ ગંગદાસ વાઘેલાએ પ્રમોલગેશનની ભૂલના કારણે કાયદેસરના માલિકનું નામ રેવન્યુ રેકર્ડમાંથી નીકળી જાય તો તેઓ માલિક મટી જતા તેવી દલીલ કરી હતી. અદાલતે તેને ગ્રાહ્ય રાખી વાદીનો દાવો રદ્દ કરવા હુકમ કર્યાે છે. પ્રતિવાદી ગંગદાસ વાઘેલા તરફથી વકીલ હિતેન ભટ્ટ, હેમાંશુ સોલંકી, ધર્મેન્દ્ર ઠાકર, કૌશિક પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial