Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાયમી ધોરણે ચાલતા એક્યુપ્રેશર વિભાગની સેવાઓ પણ મળશે
જામનગર તા. ૨૭: યાયત્રી શક્તિપીઠ અને રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્પિટલ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શરૂ સેકશન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્તર સોસાયટી-જામનગરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્યે સદગુરૂ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ (ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન રવિવાર તા. ૫-૧૦-૨૫ના સવારે ૯ થી ૧૨ વાગ્યા દરમ્યાન કરવામાં આવ્યું છે.
આ વિનામૂલ્યે નેત્રયજ્ઞમાં સદ્ગુરૂ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટના નિષ્ણાત ડોક્ટર તથા સ્ટાફ પોતાનું યોગદાન આપશે. આ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દીને બસમાં લઈ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. તથા વિનામૂલ્યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા-જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, દવા, ટીપાં ફ્રી આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને ગાયત્રી શક્તિપીઠ જામનગર કેમ્પના સ્થળે પરત મુકવાની વ્યવસ્થા પણ રાજકોટની હોસ્પિટલ તરફથી કરવામાં આવશે.
આ દિવસે ગાયત્રી શક્તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતો એક્યુપ્રેશર વિભાગ દ્વારા એક્યુપ્રેશર કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એક્યુપ્રેશર પદ્ધતિથી સારવાર કરી આપવામાં આવશે. તેમજ લાયન્સ કલબ વેસ્ટ જામનગરના સહયોગથી ડાયાબિટીસ તથા બી.પી.ની તપાસનો કેમ્પ પણ રાખેલ છે, તેમજ દાંતના દર્દો માટે ડો.કુંજલ પટેલ તેમની સેવા આપશે. તો ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા માટે ગાયત્રી શક્તિપીઠ અનુરોધ કરે છે. રાજકોટ જનાર દર્દીને શક્તિપીઠમાં જમાડીને મોકલવામાં આવે છે. તેમ ગાયત્રી શક્તિપીઠે જાણાવેલ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial