Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એફિડેવિટની જરૂર ન હોય ત્યાં
ખંભાળીયા તા. ૧: રાજ્ય સરકારની વિવિધ સેવાઓ માટેની પ્રક્રિયા સરળ બનાવાઈ છે. સોગંદનામાની જરૂરિયાત નહીં હોય ત્યાં સ્વઘોષણાપત્ર આપી શકશે.
રાજ્ય સરકારના વિવિધ વિભાગો વતી જે નાગરિકો માટે જે સેવાઓ આપણો તાલુકો વાઈબ્રન્ટ તાલુકો જનસેવા કેન્દ્ર, ડિજિટલ સેવા સેતુ અંતર્ગત સેવાઓ આપવામાં આવે છે તે સેવાઓ પ્રાપ્ત કરવામાં નાગરિકોને સરળતા રહે તે માટે ઠરાવથી સુધારાઓ કરવામાં આવ્યા છે. સરકારશ્રી દ્વારા નિયમ મુજબ જાતીના દાખલા, નોન ક્રિમિલિયર સર્ટીફિકેટ, ડોમીસાઈલ સર્ટીફિકેટ તથા ઈડબલ્યુએસ જેવા પ્રમાણપત્રો મેળવવા માટે સોગંદનામું લેવામાં આવે છે તથા આવક પરમાણપત્ર તેમજ સિનીયર સિટીઝન પ્રમાણપત્ર જેવા પ્રમાણપત્રો મેળવવા માટે સ્વઘોષણાપત્રમાં આવે છે એટલે કે જ્યાં સોગંદનામાની જરૂરિયાત નથી સ્વઘોષણા પત્ર સાથે નાગરિકોને પ્રમાણપત્રો સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે છે. સરકારમાં વિવિધ યોજનાકીય સેવાઓ પ્રાપ્ત કરવામાં નાગરિકોને સરળતા રહે અને સહેલાઈથી નાગરિકોને આવા પ્રમાણપત્રો મળી રહે તે માટે જનસેવા કેન્દ્રો દ્વારા પ્રાપ્ત થતી સુવિધાઓ પરત્વે ડોક્યુમેન્ટ સંબંધી પ્રક્રિયાો બનાવાઈ છે તેમ મામલતદાર કચેરી ઓખામંડળ (દ્વારકા) ની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial