Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરના પટેલકામાં અનુ.જાતિના સામૂહિક બહિષ્કાર અંગે ૧૧ ઓક્ટો.નું અલ્ટીમેટમઃ રાષ્ટ્રપતિનો કાફલો રોકવાની ચિમકી

ભેદભાવથી ત્રાસેલા લોકોની વહારે પહોંચી ભીમ આર્મીઃ ડીવાયએસપી દોડ્યાઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૯: પંદરમી ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ ભારત આઝાદ થઈ ગયું છતાં પણ હજુ કેટલાક ગામોમાં જુની ગુલામીની માનસિકતા રહેતી હોય છે. તેનો નમૂનો દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના પટેલકા ગામમાં જોવા મળ્યો.

પટેલકા ગામનાા સવર્ણો, દુકાનદારો દ્વારા અનુ.જાતિના લોકોનો બહિષ્કાર કરાયો હોય તેમ તેમને દુકાનોમાં માલ ના આપવા, સાર્વજનિક જગ્યાઓ, મંદિરોમાં પ્રવેશ નહીં વિગેરે થતા ત્રાસેલા અનુ.જાતિના ગ્રામજનોએ અનુ.જાતિની સંસ્થા ભીમ આર્મીને જાણ કરતા ભીમ આર્મીના સૌરાષ્ટ્રના અગ્રણીઓ પટેલકા દોડી આવ્યા હતાં તથા ગામમાં સભા યોજીને આવેદનપત્ર આપ્યું હતું. ભાગ્યે જ બનતી આવી ઘટના થતા દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડ પટેલકા દોડી આવ્યા હતાં તથા તેમણે આ ભેદભાવ તથા અનુ.જાતિનો બહિષ્કાર નાબુદ કરવા ખાતરી આપી હતી.

જો કે, ભીમ આર્મી તથા અનુ.જાતિના લોકો અન્યોના ભેદભાવયુક્ત વલણથી ત્રાસી ગયેલા હોય તથા રોજિંદા જીવનવ્યવહારમાં પરેશાની થતી હોય, તા. ૧૧-૧૦-ર૦રપ પહેલા તંત્રને આ ભેદભાવનું નિરાકરણ લાવવા અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. તથા નહીં થાય તો તા. ૧૧-૧૦-ર૦રપ ના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારકા આવતા હોય, તેમના કાફલાને રોડ પર રોકીને ન્યાયની માંગ કરવામાં આવશે તેવી ભીમ આર્મીની જાહેરાતથી તંત્ર દોડ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh