Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાઃ રખડતા ઢોરના ત્રાસની સમસ્યા યથાવત્

ઢોરના કારણે અકસ્માત કે મૃત્યુ પછી જ તંત્ર જાગશે?

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૭: ખંભાળિયા પંથકમાં રખડતા ઢોરના ત્રાસથી અનેક અકસ્માતો, ઈજાઓ તથા મૃન્યુ થવાના પણ ત્રણેક બનાવ બની ગયા પછી તાજેતરમાં તંત્રને પ્રાંત અધિકારી શ્રી કે.કે. કરમટા દ્વારા જગાડવામાં આવેલું તથા ગૌશાળા સંચાલકો, સ્વૈચ્છિક સંસ્થાઓ, ટ્રાફિક પોલીસ, પાલિકા, મામલતદાર તથા પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવેલી, પરંતુ કાર્યવાહી માત્ર બે-ચાર દિવસ થતા ફરી સ્થિતિ યથાવત્ થઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાય છે તથા ફરી ઢોરને કારણે અકસ્માત કે મૃત્યુ થાય પછી જ તંત્ર જાગશે કે શું? તેવો પ્રશ્ન પણ ઊઠ્યો છે.

જ્યાં ત્યાં ઘાસ ના વેંચતા તથા જ્યાં ત્યાં ઘાસ ના નાખવા નહીં તો પગલાં, ફરિયાદ, રખડતા માલિકીના ઢોર હશે તો પકડીને માલિકો સામે ફરિયાદ નક્કી કરેલ જગ્યા પર જ ઘાસ નાખવા સ્પષ્ટ નિર્દેશ છતાં બેઠકના બે મહિનામાં માત્ર બે જ કેસ માલિકીના ઢોર પકડવાના થતા તંત્રની કડકાઈ ના રહી હોય, માલિકીના ઢોરને દૂધ દોહીને છોડી દેવાનું યથાવત્ રહ્યું છે, તો રખડતા આખલાના શેરી યુદ્ધો પણ હજુ ચાલુ છે. તાજેતરમાં તહેવારો ઉપર બે સ્થળે રખડતા આખલાના ઝઘડાઓ થતા લોકોમાં નાસભાગ થઈ હતી.

માલિકીના રખડતા

ઢોર સામે પગલાં જરૂરી

અનેક પશુપાલકો એવા છે કે સેવાભાવીઓ જ્યાં ચરો નાખતા હોય ત્યાં ઢોર મૂકી જાય અને સાંજે લઈ બે ટાઈમ દૂધ દોહી લે અને ઢોર સેવાભાવીઓ નિભાવે! આવા તત્ત્વો સામે પોલીસ કાર્યવાહીમાં બે કેસ થતા ભારે ફફડાટ થયો હતો પણ પછી 'રાબેતા મુજબ' ચાલવા લાગ્યું છે. કેટલાક 'દેખાડો' કરનારા સેવાભાવીઓ પ૦/૧૦૦ રૂપિયાનો ચરો એક્ટિવામાં લઈને શેરી-ગલીમાં રોજ ગાયોને એક બે નીણની ડાળખી નાખવા અને 'દાન'નો શો કરવા નીકળે છે. આવા લોકોથી પણ રખડતા ઢોરનો ત્રાસ વધે છે.

ખંભાળિયા પાલિકાની મોટી સમસ્યા છે કે તેની પાસે ગૌશાળા નથી તથા ક્યાંય કાયમી રાખી શકાય તેવા સ્થળો પણ ના હોય, રખડતા કે માલિકીના ઢોરને પકડીને રાખવા ક્યાં તે પણ પ્રશ્ન છે, જેથી પકડતા પણ નથી, તો અનેક પશુ સંસ્થા જો ઘાસચારા શેડની વ્યવસ્થા થાય તો રખડતા પશુ સાચવે તેવું છે, પણ આવી સંસ્થાઓને મદદ ના કરાતા રખડતા પશુઓ ઘટતા નથી, વળી નજીકના વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ વધે તો રાત્રે ટ્રેક્ટર ભરીને ખંભાળિયા નજીક ઉતારી જાય છે તે વધારામાં!

પોલીસ, પાલિકા, રેવન્યુ તંત્ર અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સારી રીતે સંકલન કરે તો આ રખડતા ઢોરનો પ્રશ્ન કાયમી ઉકેલાય જાય તેમ છે, પણ તંત્ર સંકલન નથી કરતું માત્ર મિટિંગો થાય છે પછી કંઈ ફોલોઅપ થતું નથી અથવા તો કરવું નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh