Advertisement
Author: નોબત સમાચાર

દેવાયત ખવડ જેલમાં: જામીન અરજી ફગાવાઈ

સાત દિવસના રિમાન્ડ પૂરા થતા

                                                                                                                                                                                                      

જુનાગઢ તા. ૧૭: રિમાન્ડ પૂરા થતા દેવાયત ખવડને જેલના હવાલે કરાયા છે, હવે આવતીકાલે વેરાવળ કોર્ટમાં સુનાવણી થશે.

જાણીતા ડાયરા કલાકાર દેવાયત ખવડ અને તેમના સાથી આરોપીના ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલાના કેસમાં સાત દિવસના રિમાન્ડ પૂરા થયા છે. બુધવારે (૧૭ સપ્ટેમ્બર) રિમાન્ડ પૂરા થતા તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. હવે કોર્ટે આ કેસમાં આરોપીઓના રિમાન્ડ વધાર્યા નથી અને જામીન અરજી પણ ફગાવી દીધી છે. તેથી હવે આ તમામ આરોપીઓને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા છે.

નોંધનીય છે કે, તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેમના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના પછી નીચલી કોર્ટે કુલ ૧૫ આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા, જેના પર તાલાલા પોલીસે વાંધો ઉઠાવ્યો હતો. તાલાલા પોલીસે નીચલી કોર્ટ દ્વારા અપાયેલા જામીન સામે રિવિઝન અરજી દાખલ કરી હતી. ત્યાર બાદ વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા આ રિવિઝન અરજી માન્ય રાખી જામીન રદ કર્યા છે. સમગ્ર કેસ મામલે તાલાલા પોલીસે દેવાયત ખવડના સાત દિવસના રિમાન્ડની માંગ કરી હતી, જેને કોર્ટે મંજૂર કર્યા હતા. આ રિમાન્ડ બુધવારે (૧૭ સપ્ટેમ્બર) પૂરા થયા પછી હવે તમામ આરોપીને જૂનાગઢ જેલમાં મોકલાયા છે.

ઉલ્લેખનિય છે કે, અમદાવાદ નજીકના સનાથલમાં રહેતો ધ્રુવરાજસિંહ ચૌહાણ અને લોક સાહિત્યકાર દેવાયત વચ્ચે ગત ફેબ્રુઆરી માસમાં ડાયરામાં પૈસા આપવા છતાં ન આવવા મુદ્દે વિવાદ ચાલે છે એ મામલે ત્યારે બંને પક્ષ દ્વારા ફરિયાદ થઈ હતી. આ બાબતનું મન-દુઃખ હજુ ચાલી રહૃાું છે. સનાથલનો ધ્રુવરાજસિંહ ચૌહાણ ૧૧ ઓગસ્ટે ભાવનગરથી તાલાલા તાલુકાના ચિત્રોડ નજીક આવેલા એક રિસોર્ટમાં ગયો હતો. બીજા દિવસે ૧૧ વાગ્યે જ્યારે ધ્રુવરાજસિંહ અને તેના બે મિત્રો કિયા કારમાં સોમનાથ જતા હતા ત્યારે આગળથી ફોર્ચ્યુનર અને પાછળથી ક્રેટા કાર ચાલકે ધ્રુવરાજસિંહ જે કારમાં હતો તેને ટક્કર મારી હતી. બાદમાં બંને કારમાંથી દેવાયત ખવડ સહિત ૧૨-૧૫ શખસો પાઇપ, ધોકા લઈને નીચે ઉતર્યા અને ધ્રુવરાજની કારમાં તોડફોડ કરી તેમજ તેને પણ ઢોર માર માર્યો હોવાના આરોપો લાગ્યા હતાં.

ધ્રુવરાજસિંહે આરોપ લગાવ્યો છે કે, તે હતો ત્યારે કોઈ અન્ય શખસે તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી ગીરમાં ન આવવા ચેતવણી આપી હતી. જોકે, આ ધમકીને તેણે ગંભીરતાથી લીધી ન હતી. વધુમાં ભોગ બનનાર યુવાને જણાવ્યું હતું કે, 'દેવાયત ખવડ અને તેના માણસોએ મારી રેકી કરી હતી. હું મારા મિત્રના રિસોર્ટમાં રોકાયો હતો ત્યાં પણ આવ્યા હતા. રિસોર્ટમાંથી મને શોધતા દેવાયત ખવડ અને તેના માણસો શોધતા હોવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ મેં આ બાબતે ધ્યાન આપ્યું ન હતું. આવી રીતે પાછળથી હુમલો કરશે એવો તો ખ્યાલ જ ન હતો.'

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh