Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૧: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન થયું છે. જેમાં આજે યાંત્રિક રાઈડ કમિટીએ મેળામાં જમીન, સાધનો, યાંત્રિક રાઈડો વગેરેનું ચેકીંગ કર્યું હતું. રાજકોટથી યાંત્રિક વિભાગના એક્ઝિક્યુટીવ એન્જિનિયર પિયુષ બાંભરોલિયાની સમગ્ર ટીમે પ્રદર્શન મેદાનમાં મેળા સ્થળની મુલાકાત કરી હતી. મેદાનમાં ઊભી કરાયેલ કુલ ૧૪ રાઈડનું નિરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ ટીમમાં સેફ્ટી પોઈન્ટ્સ જોવામાં આવ્યા હતાં. સરકારના એસઓપી મુજબના નિયમોનું પાલના થાય છે કે કેમ? તેની તપાસણી કરવામાં આવી હતી. આ કમિટીમાં ઈલેક્ટ્રીક ઈન્સ્પેક્ટર, મિકેનિકલ, સિવિલ ઈજનેર સહિતનાઓ જોડાયા હતાં અને તમામ રાઈડ્ઝનું ચેકીંગ કર્યું હતું. તેનો અહેવાલ તૈયાર કરી ખૂટતી સુવિધા અંગે પૂર્તતા કરવા જણાવાશે. ત્યારપછી લાયસન્સ ઈસ્યુ કરાયા પછી જ મેળો શરૂ થઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial