Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સજા કાપવા માટે ફરીથી જેલહવાલે કરાયોઃ
જામનગર તા. ૧૮: જામનગરના ખાટકીવાડમાં રહેતા એક શખ્સને હત્યાના કેસમાં આજીવન કેદની સજા થયા પછી આ શખ્સ પેરોલ પર મુક્ત થઈ ફરાર થઈ ગયો હતો. તેને પેરોલ ફર્લો સ્કવોડે જામનગરમાંથી દબોચી લીધો છે.
જામનગરના ખાટકી વાડમાં આવેલા હુસેની ચોકમાં રહેતા ઈમ્તિયાઝ કાશભાઈ કટારીયા નામના શખ્સ સામે થોડા વર્ષ પહેલાં સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યા અંગેનો એક ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી ઈમ્તિયાઝને આજીવન કેદની સજા ફટકારી હતી.
ત્યારપછી રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા આ શખ્સે ગુજરાત હાઈકોર્ટમાંથી પેરોલ પર મુક્તિ મેળવી હતી. આ શખ્સને ગઈ તા.૩ સપ્ટેમ્બરના દિને જેલમાં હાજર થઈ જવાની શરત પર મુક્ત કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ શખ્સ જેલમાં હાજર ન થઈ નાસી ગયો હતો.
ઉપરોક્ત આરોપી સુભાષ શાક માર્કેટ નજીક એક શેરીમાં આવ્યો હોવાની બાતમી મળતા ધસી ગયેલી પેરોલ ફર્લો ટીમ દ્વારા તેને દબોચી લેવામાં આવ્યો છે અને રાજકોટની મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial