Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અર્વાચીન ગરબીઓનાં ટ્રેન્ડ વચ્ચે પ્રાચીન ગરબીઓની ગરિમા યથાવતઃ
'છોટીકાશી' જામનગરમાં લગભગ તમામ વિસ્તારોમાં નાની મોટી પ્રાચીન ગરબીઓ યોજાય છે. પરંપરાગત રીતે વર્ષોથી યોજાતી આ ગરબીઓમાં નાની બાળાઓથી લઇ તરુણીઓ ગરબે ઘૂમે છે અને આદ્યશક્તિની આરાધના કરે છે. ગરબીનું આ મૂળ સ્વરૃપ વર્તમાનમાં સૌથી પ્રચલિત અર્વાચીન ગરબીઓનાં ટ્રેન્ડ વચ્ચે પણ ગૌરવભેર અડીખમ છે. અર્વાચીન ગરબીઓમાં આરાધના કરતા ઉત્સવનું વધુ મહત્ત્વ હોય છે જ્યારે પ્રાચીન ગરબીઓમાં આરાધના એ જ ઉત્સવ હોય છે. પંચેશ્વર ટાવર પાસે શ્રી રામદૂત હનુમાન મંદિર નજીક મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા શ્રી ખોડિયાર કુમારિકા ગરબી મંડળ અંતર્ગત યોજાતી નાની બાળાઓની ગરબીમાં તેનાં શુદ્ધ સ્વરૃપની ઝાંખી થાય છે. નાની બાળાઓ ચંદરવામાં ગરબે ઘૂમે છે અને ભક્તિ સાથે આનંદનો સમન્વય થાય છે. પંચેશ્વર ટાવર પાસે જ અંબાજી કુમારિકા ગરબી મંડળ દ્વારા દાયકાઓથી યોજાતી ગરબીમાં પણ બાળાઓ - તરુણીઓ વિવિધ ગરબા પર રાસ રમે છે. આ માટે નવરાત્રિ પૂર્વે તૈયારીઓ પણ કરવામાં આવે છે. ગરબીમાં પ્રતિદિન લાણી વિતરણ પણ કરવામાં આવે છે. હાથી કોલોની વિસ્તારમાં શ્રી આશાપુરા કુમારિકા ગરબી મંડળ દ્વારા પણ પરંપરાગત રીતે પ્રાચીન ગરબીનું આયોજન ઘણાં વર્ષોથી થાય છે. બાળાઓ અને તરુણીઓ એકસરખા પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમે છે ત્યારે ભક્તિ પર્વની ઉજવણી સાથે સંસ્કૃતિનું જતન પણ થાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial