Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની નંદન સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૩: જામનગરના જયશ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નંદન સાયન્સ એન્ડ કોમર્સ સ્કૂલમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. આ સાથે ગૌરી વ્રત પણ ઉજવવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાળાના પ્રમુખ પ્રવિણભાઈ માડમ, ટ્રસ્ટી લીરીબેન માડમ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના નર્સરીથી ધો.૧૨ સુધીના વિદ્યાર્થીઓએ આચાર્ય તથા શિક્ષકોનું ગુરૂપૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગૌરી વ્રતનું પૂજન તથા સંચાલન કૌશલ્યાબેન ત્રિવેદીએ કર્યું હતું.

ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા રાષ્ટ્રીય પ્રકલ્પ ગુરૂવંદન, છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો હતો. શાળાના બાળકો તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ જામનગર શાખાના સભ્ય આનંદભાઈ પ્રજાપતિ, વિશાલભાઈ, ધર્મેન્દ્રભાઈ વગેરે હાજર રહ્યા હતા. સંચાલન આચાર્ય આશિષ કારીયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh