Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાચીન આયોજકોનાં પંડાલોમાં આકર્ષક સ્વરૂપમાં બિરાજતા ગજાનન
'છોટીકાશી' કહેવાતા જામનગરમાં સાર્વજનિક ગણેશોત્સવનો આરંભ થઇ ગયો છે. વિવિધ પંડાલોમાં ભગવાન ગજાનન વિવિધ સ્વરૂપોમાં બિરાજી રહૃાા છે. નગરનાં મંગલબાગ વિસ્તારમાં મહારાષ્ટ્ર મરાઠા મંડળ દ્વારા ૮૪ વર્ષથી યોજાતા સાર્વજનિક ગણેશોત્સવમાં મુંબઇનાં પ્રખ્યાત સાર્વજનિક ગણેશોત્સવ 'લાલ બાગ કા રાજા' ની આ વર્ષની પ્રતિમાની આબેહૂબ પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. જેને નિહાળી ભક્તોને 'લાલ બાગ કા રાજા' નાં દર્શનની અનુભૂતિ થાય છે. ચાંદી બજારમાં શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા ૪૬ વર્ષથી આયોજીત સાર્વજનિક ગણેશોત્સવમાં વિઠ્ઠલ ભગવાન તથા ગણેશજી એક સાથે બિરાજી રહૃાા છે. રાજકોટથી લાવવામાં આવેલ આ પ્રતિમાનાં દર્શન કરી ભક્તો મહારાષ્ટ્રની ભક્તિ પરંપરાનો અહેસાસ કરી રહૃાા છે. ભાટ્ટની આંબલી પાસે ગિરનારી પાન સામે ગિરનારી મિત્ર મંડળ દ્વારા ૨૧ વર્ષથી યોજાતા સાર્વજનિક ગણેશોત્સવમાં પણ ભક્તો ભગવાન ગજાનનનાં મનમોહક સ્વરૂપનાં દર્શન કરી ધન્ય થઇ રહૃાા છે. અહીં મહાઆરતીમાં ભક્તો બહોળી સંખ્યામાં ઉમટે છે. આ ઉપરાંત પણ નગરનાં વિવિધ વિસ્તારોમાં - વિવિધ કોમ્પલેક્ષમાં પણ ભક્તો દ્વારા ૩ દિવસથી લઇ ૧૦ દિવસનાં સાર્વજનિક ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial