Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજયના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાર્યક્રમોઃ
જામનગર તા.૨૨: રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતમાં જામનગર તાલુકાના પસાયા ગામમાં શ્રી મહાકાળી માતાજીના મંદિરે યજ્ઞ, ધ્વજારોહણ, મહાપ્રસાદ, નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન અને વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પસાયા ગામના અગ્રણી ધનુભા જાડેજા અને તેમના પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનુભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા, પૂર્વ ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, શહેર ભાજપ મહામંત્રી વિજયસિંહ જેઠવા, જિલ્લા ભાજપ મંત્રી કુમારપાલસિંહ રાણા, અને સાંસદ પૂનમબેન માડમના પ્રતિનિધિ તરીકે ડો. હાર્દિકભાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહૃાા હતા. આ ઉપરાંત, યાર્ડના ડિરેક્ટરો, આસપાસના ગામના સરપંચો, આગેવાનો, રાજપૂત યુવા સંઘના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ગ્રામજનો અને સ્નેહીજનોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના રાજેશ્વરી ટ્રેડિંગના મહિપતસિંહ દિલુભા જાડેજા અને ગુલાબસિંહ ભગવાનજી જાડેજા દ્વારા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું બળદગાડાની પ્રતિકૃતિ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે જાડેજા પરિવારના મોભી અને પસાયા ગામના પૂર્વ સરપંચ દિલુભા જાડેજા, હેમભા જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, કેશુભા જાડેજા તથા અન્ય સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજપૂત શક્તિ સંસ્થાના પ્રવિણસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial