Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેલિસ્કોપ અને દુરબિન દ્વારા પ્રત્યક્ષ નિદર્શનનો કાર્યક્રમઃ
જામનગર તા. ૫: આગામી રવિવાર ને તા. ૭ સપ્ટેમ્બરના થનાર સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ રાત્રિએ ૧૦ કલાકે શરૂ થશે. અને રાત્રે ૧.૩૦ કલાકે પૂર્ણ થશે. આ દરમ્યાન ૧૧ કલાકે પૂર્ણ ચંદ્ર ગ્રહણ ની શરૂઆત થઈ ૧ કલાક અને ૨૨ મિનિટ સુધી ચંદ્ર રાતા - બ્લડ મુન- સ્વરૂપે દેખાશે. રાત્રે ૧.૩૦ કલાકે ગ્રહણ પૂર્ણ થતાં ફરી પૂર્ણ ચમકતો થશે.
વિજ્ઞાનિક દૃષ્ટીકોણ ધરાવતા પંડિતોને તો જાણ હતી કે સૂર્ય ગ્રહણ સમયે ચંદ્ર સૂર્ય ને ઢાંકે છે, અને ચંદ્ર ગ્રહણ સમયે પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે. પરંતુ સામાન્ય લોકોને સમજાવવા માટે રાહુ અને કેતુ જેવા દૈત્યોની વાત ઉપજાવી. કાઢી હતી. અંધશ્રદ્ધા અને અફવાઓથી દૂર રહી ને આવી અલૌકિક ખગોળીય ધટનાના સાક્ષી બનીને નિહાળવું જોઈએ.
ગ્રહણ માત્ર એ સૂર્ય-ચંદ્રના પડછાયાની રમત છે. હવે આવું પૂર્ણ ચંદ્ર ગ્રહણ તા. ૩૧.૧૨.૨૦૨૮ના આકાર લેશે. આ ચંદ્ર ગ્રહણની ધટનાના સાક્ષી બનવા ખગોળ મંડળ, જામનગર અને એમ. ડી. મહેતા વિજ્ઞાન કેન્દ્ર, ધ્રોલ દ્વારા ટેલિસ્કોપ અને દૂરબિન દ્વારા પ્રત્યક્ષ નિદશૅંનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે. ચંદ્ર ગ્રહણની આ ધટનાને નરી આંખે પણ સલામત રીતે માણી શકાય છે.
જામનગરના પ્રદર્શન મેદાનમાં આગામી રવિવાર તા. ૭.૯.૨૦૨૫ ના રાત્રે ૧૦ કલાકેથી નિહાળી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial