Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની ટીમે શનિવારે એક માલધારીને ત્યાંથી ચાર ઢોર ઝડપી ડબ્બામાં મોકલ્યા

લાયસન્સ વિના ઘરે રાખેલા ઢોરનું ચેકીંગ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગરમાં રસ્તે રઝળતા ઢોરને પકડવા માટે મહાનગરપાલિકા દ્વારા ઘરે જઈને ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. શનિવારે પણ આવા ચાર ઢોરને પકડી લેવાયા હતાં. આ પછી ઢોર માલિકોની વિનંતીના કારણે બે દિવસની મુદ્ત આપવામાં આવી હતી.

જામનગરમાંથી રસ્તે રઝળનાર ઢોરનો ત્રાસ દૂર કરવા માટે મહાનગરપાલિકાએ કેટલાક ખાસ જાહેરનામા પ્રસિદ્ધ કર્યા છે, જેમાં ઢોર ઘરે રાખ્યા હોય તો પણ મહાનગરપાલિકા પાસેથી લાયસન્સ મેળવવું ફરજિયાત બનાવાયું છે, અને જો લાયસન્સ મેળવવામાં ન આવે તો મહાનગરપાલિકાની ટીમ ઘરે જઈને ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છે. જે અન્વયે ગત્ શનિવારે મહાનગરપાલિકાના નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, કંટ્રોલીંગ અધિકારી મુકેશ વરણવાની રાહબરી મેઠળ વિશાળ પોલીસ બંદોબસ્ત સાથે પંચેશ્વર ટાવર પાસેના વિસ્તારમાં પહોંચી હતી અને ઘર પાસે બાંધેલ ચાર ગાયોને પકડી લઈ ઢોરના દબ્બામાં મોકલી આપી હતી.

આ પછી ઢોરમાલિકોની રજૂઆતના અંતે તેમને બે દિવસની મુદ્ત આપવામાં આવી હતી, જો કે આજે તે મુદ્તનો સમયગાળો પૂર્ણ થયો છે. આ કામગીરી સમયે ડી.વાય.એસ.પી. જે.એન. ઝાલા, પી.આઈ. નિકુલસિંહ ચાવડા અને પોલીસે ચૂસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh