Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સમસ્ત બ્રહ્મસમાજ માટે તા. ૩ ઓક્ટોબરે
જામનગર તા. ૨૯: શ્રી બ્રહ્મદેવ સમાજ, જામનગર ટીમ દ્વારા પાંચમા વર્ષે બાય બાય નવરાત્રિ-ર૦રપ નું આયોજન દયાશંકર બ્રહ્મપુરી, કાશી વિશ્વનાથ રોડ, જામનગરમાં ૩ ઓક્ટોબરના સાંજે ૭ વાગ્યે કરવામાં આવ્યું છે.
બ્રહ્મદેવ સમાજ ગુજરાત-જામનગર ટીમ દ્વારા આયોજિત સમસ્ત બ્રહ્મસમાજના ખેલૈયાઓ માટેની બાય-બાય નવરાત્રિ-ર૦રપ ના આયોજનમાં બ્રહ્મસમાજના તમામ ખેલૈયાઓ ભાગ લઈ શકશે અને રાસગરબાની રમઝટ માણી શકશે.
રાસગરબા નિહાળવાનું તદ્ન ફ્રીછે, જ્યારે ખેલૈયાઓએ પાસ મેળવવા ફરજિયાત છે. પાસ માટે આધાર કાર્ડની નકલ સાથે રાખવાની રહેશે અને રમવાના પાસ મેળવવા માટે નિલેશભાઈ પંડ્યા-બાલાજી રોડ લાઈન્સ, ર૦૯, શિવ કોમ્પ્લેક્સ, ગુલાબનગર. ભાવનાબેન રાવલ-અવધ હોન્ડાનો શો-રૂમ, ખોડિયાર કોલોની. કમલેશભાઈ પંડ્યા-ગણેશ ઝેરોક્ષ, મિનલ શોપિંગ સેન્ટર, સુમેર ક્લબ રોડ, અથવા રિન્કુબેન ખેતિયાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial