Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ બેડીયામાં 'હાઈડ્રોએલન્ટોઈસ' નામના ગંભીર રોગ પીડિત ભેંસને નવજીવન

૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ દ્વારા સારવારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બેડીયા ગામના પશુપાલક દિનેશભાઈએ તેમની બીમાર ભેંસ માટે ૧૯૬૨ હેલ્પલાઈન પર ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેમની ભેંસ ખૂબ જ ગંભીર રીતે પીડાઈ રહી છે. અને તેને ખાવા પીવાનું પણ છોડી દીધું છે.

તરત જ, કાલાવડ તાલુકાની ૧૯૬૨ એમ્બ્યુલન્સનો સ્ટાફ, જેમાં ડો. નરેશભાઈ અને પાયલોટ-કમ-ડ્રેસર હુસેનભાઈ શાહ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભેંસની ગર્ભાવસ્થામાં ગર્ભાશયમાં આવેલી એલાન્ટોઇક થેલીમાં અતિશય પાણી ભરાઈ ગયું હતું.અને ભેંસ 'હાઇડ્રોએલન્ટોઇસ'થી પીડાઈ રહી છે. ડો. નરેશભાઈએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, ગર્ભાશયમાં ભરાયેલા પાણીને બહાર કાઢ્યું અને ગર્ભાશયમાં રહેલા મૃત પાડીને સફળતાપૂર્વક બહાર લાવવામાં આવ્યું. આશરે દોઢ કલાકની જહેમત બાદ ડોક્ટર દ્વારા ભેંસને પીડામાંથી મુક્ત કરીને તેને નવજીવન આપવામાં આવ્યું હતું. તેમણે સરકાર પ્રત્યે ખુશી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ સફળ અને માનવતાભર્યા કાર્યની નોંધ લેતા, ૧૯૬૨ ના પ્રોગ્રામ મેનેજર ડો. સોયબ ખાન અને જામનગર જિલ્લાના પ્રોજેક્ટ કોર્ડીનેટર ચિંતનભાઈ પંચાલ દ્વારા ૧૯૬૨ એમવીડી એમ્બ્યુલન્સની ટીમના કાર્યને બિરદાવવામાં આવ્યું હતું.

પશુઓને તાત્કાલિક સારવારની જરૂર પડે, તો ૧૯૬૨ હેલ્પલાઇન પર સંપર્ક કરો અને સરકારની આ આશીર્વાદરૂપ સેવાનો લાભ લો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh