Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પતિએ પોલીસને જાણ કરતા તપાસ શરૂ કરાઈઃ
જામનગર તા. ૩: જામનગરના ગોકુલનગર નજીક મથુરા સોસાયટીમાં રહેતા એક પરિણીતા પોતાની બે પુત્રીને સાથે રાખીને ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે. પતિએ શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા પત્ની-પુત્રીઓ ગુમ થયાની પોલીસમાં જાણ કરી છે.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પર આવેલી મથુરા સોસાયટીની શેરી નં.૧૩માં રહેતા રોનકભાઈ છગનભાઈ ઠુમ્મર નામના યુવાનના પત્ની પૂજાબેન (ઉ.વ.રપ) પોતાના ઘરેથી ક્યાંક ચાલ્યા ગયા છે.
આ પરિણીતા પોતાની સાથે ચાર વર્ષની પુત્રી કાવ્યા તથા ક્યારાને પણ લેતા ગયા છે. મજબૂત બાંધો, ઘઉંવર્ણાે વાન ધરાવતા પૂજાબેનના ડાબા હાથના કાંડા નીચે આર શબ્દ ત્રોફાવેલો છે. આ મહિલા તથા તેમના બે જોડીયા પુત્રી અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન અથવા પીએસઆઈ વી.એ. પરમારનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial