Advertisement
Author: નોબત સમાચાર

પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના જિલ્લા કક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજાઈ

કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૭: જામનગર જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અંંગે જિલ્લાકક્ષાની અનુસરણ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના હેઠળ પસંદગી થયેલ કાલાવડ તાલુકાના મોરીદડ ગામમાં લોકોની સુવિધા અને સુખાકારીમાં ઉમેરો કરતા જે કામોને મંજુરી આપવામાં આવી છે તેની સમીક્ષા કરવામાં આવી હતી. કલેકટરે વિવિધ કામોનું હાલનું સ્ટેટસ જાણી લગત અધિકારીઓને આ કામો પૂર્ણ કરવા સૂચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મોરીદડ ગામમાં રૂ. ૧૦.૫૦ લાખના ખર્ચે સાંસ્કૃતિક હોલ, રૂ. ૫ લાખના ખર્ચે સ્મશાન છાપરીનું કામ, રૂ. ૨.૫ લાખના ખર્ચે સ્નાનઘાટનું કામ, રૂ. ૨ લાખના ખર્ચે સ્મશાન કમ્પાઉન્ડ વોલનું કામ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ગોમતીબેન ચાવડા, નિવાસી અધિક કલેકટર બી.એન.ખેર સહિત સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh