Advertisement
Author: નોબત સમાચાર

સિક્કામાં નવ મહિનામાં દારૃબંધી ભંગના નોંધાયેલા ત્રણ ગુન્હાના આરોપીની અટક

૨૦ વર્ષ પહેલાં થયેલી હત્યાના આરોપીનંુ અવસાનઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ જામનગરમાં ૨૦ વર્ષ પહેલાં નોંધાયેલા હત્યાના એક ગુન્હામાં જે આરોપીનું નામ ખૂલ્યું હતું તેનું તાજેતરમાં અવસાન થતાં એલસીબીએ તે અંગે કાર્યવાહી કરી છે. જ્યારે સિક્કામાં દારૃબંધી ભંગના છેલ્લા નવ મહિનામાં નોંધાયેલા ત્રણ ગુન્હામાં નાસતા શખ્સને પકડી પાડવામાં આવ્યો છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગાયત્રી ચોકમાં અગાઉ વસવાટ કરતા મૂળ મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના લોહી ગામના વતની સમાધાન વસંતભાઈ ગવઈ નામના શખ્સ સામે વર્ષ ૨૦૦૪માં હત્યાનો એક ગુન્હો નોંધાયો હતો. ત્યારથી આ શખ્સ પોલીસને હાથતાળી આપતો હતો.

આ શખ્સની કરાઈ રહેલી શોધખોળ દરમિયાન એલસીબીના કાસમભાઈ તથા હિતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે તેના નવાગામ ઘેડ સ્થિત રહેણાંક મકાને તપાસ કરાતા આ વ્યક્તિનું થોડા સમય પહેલાં પોતાના વતનમાં અવસાન થયાનું ખૂલ્યું છે. તે અંગેના કાગળો તૈયાર કરી સિટી બી ડિવિઝનને જાણ કરવામાં આવી છે.

જામનગરના સિક્કા પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષમાં દારૃબંધી ભંગના ત્રણ ગુન્હા નોંધાયા હતા. જેમાં મુંગણી ગામના રવિરાજસિંહ બહાદુરસિંહ જાડેજા ઉર્ફે ભાણેજનું નામ ખૂલ્યું હતું. છેલ્લા નવેક મહિનાથી પોલીસને હાથતાળી આપતા આ શખ્સને સિક્કાના પીઆઈ જે.જે. ચાવડાની સૂચનાથી પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફે પકડી પાડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh