Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાળ સાહિત્યક્ષેત્રેનું યોગદાન શિક્ષણ જગત માટે પ્રેરણારૂપઃ
જામનગર તા. ૧૨: જામનગરની શાળા નં. ૫૧ ના પ્રતિભાશાળી શિક્ષિકા પૂર્ણિમાબેન પંડ્યાની પસંદગી ગુજરાતી બાળસાહિત્ય ક્ષેત્રે મળતા સર્વોચ્ચ સન્માન અંજુ નરશી બાળ સાહિત્ય પારિતોષિક ૨૦૨૫ માટે બાળ સાહિત્ય સંશોધક તરીકે કરવામાં આવી છે.
આ પ્રતિષ્ઠિત સન્માન પરબધામમાં રાજ્ય કક્ષાના મંત્રી કૌશિક વેકરીયા તથા પૂર્વ કેબિનેટ મંત્રી રાજેશ રાદડિયાની વિશિષ્ટ ઉપસ્થિતિમાં અર્પણ થવાનું છે.
પૂર્ણિમાબેન પંડ્યાનું બાળસાહિત્ય ક્ષેત્રે કરેલું યોગદાન શિક્ષણ જગત માટે પ્રેરણારૂપ ગણાય છે. તેમણે બાળકોના હ્ય્દયમાં જ્ઞાનનો અજવાળો પ્રગટાવવાની દિશામાં અવિરત પ્રયત્નો કર્યા છે, જે સમાજ માટે એક ઉદાત્ત ઉદાહરણ છે.
શાળા નંબર ૫૧ પરિવાર વતી આચાર્ય કૌશિકભાઇ ચુડાસમા તથા નગર પ્રાથમિક શિક્ષક સંઘના રાજ્ય કક્ષાના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ખાખરીયાએ પૂર્ણિમાબેન પંડ્યાને અભિનંદન અને શુભકામનાઓ પાઠવી છે. બાળસાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના ભાવિ સર્જનકાર્ય માટે સમગ્ર શિક્ષણજગત તરફથી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial