Advertisement
Author: નોબત સમાચાર

મિત્રતા રાખવા અને વાત કરવા વારંવાર પજવણી કરવાના આરોપમાં થયો છૂટકારો

પોલીસે પોક્સો એક્ટ હેઠળ નોંધ્યો હતો ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૧: જામનગરના એક શખ્સ સામે સગીરાને વારંવાર કોલ કરવા અને મિત્રતા ન કરે તો ઉપાડી જવાની ધમકી આપવા અંગે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરની એક સગીરા થોડા વખત પહેલાં લાલપુર તાલુકાના એક ગામમાં પોતાના સંબંધીના ઘેર ગઈ ત્યારે કલ્પેશ લગારીયા નામના શખ્સે તેણીને ફોન પર કોલ કર્યા પછી મિત્રતા રાખવા અથવા ઉપાડી જવાની ધમકી આપી હતી. આ શખ્સ અવારનવાર વાત કરવાનો સંબંધ રાખવા દબાણ કરતો હતો. તેથી સગીરાએ પરિવારજનોને વાત કરી હતી.

આ બાબતની પોલીસમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે આરોપી કલ્પેશ લગારીયાની ધરપકડ કરી ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલવા પર આવતા આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ફોન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો અને ઉલટ તપાસમાં સગીરાએ પણ આરોપી ક્યારેય મળ્યો નથી, જોયો નથી તેમ જણાવ્યું છે. ફોનમાં વાત કરવામાં આવી હોય તેવા કોઈ માની શકાય તેવા પુરાવા રજૂ થયા નથી. અદાલતે તે દલીલો ગ્રાહ્ય રાખી આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા, કરણ પટેલ રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh