Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'આપ'ના જિલ્લા પ્રમુખ દ્વારા
જામનગર તા. ૧૯: જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈ માટેના પાણીની ખૂબજ તંગી છે. તેથી ખેડૂતો શિયાળુ પાકનું વાવેતર કરી શકે તેમ નથી, જે ખરીફ પાક ઊભો છે તે સુકાઈ રહ્યો છે, તેથી ખેડૂતોની સ્થિતિ કફોળી બની રહી છે. પાકને બચાવવા પાણીનું પિયત આપવું ખૂબજ આવશ્યક છે. જો કરોડો રૂપિયાના ખર્ચે બનેલી સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈનો લાભ ન મળે તો સૌની યોજનામાં વાપરવામાં આવેલા કરોડો રૂપિયાનો કોઈ મતલબ નથી. તેથી સૌની યોજનાનું વરણા તથા જગા ગામે આવેલ વાલ્વમાંથી તાત્કાલીક પુરા ફલોથી પાણી વાલ્વ દ્વાર કંકાવટી ડેમ ભરવામાં આવે તો નદી મારફત પાણી છોડવાથી અને ચેકડેમ ભરવાથી ફલ્લા,બેરાજા, બારાડી, હડીયાણા ગામોની હજારો વીઘા જમીનમાં વાવેતર કરેલ પાકને બચાવી શકાય તેમ છે. તેવી રીતે કંકાવટી લીંકમાંથી પાણી છોડી રામપર, ખીરી તેમજ બાલાચડી ગામોના તળાવો ભરવામાં આવે તો ખરીફ તથા શિયાળુ પાકને તેનો લાભ મળે અને જામનગર તાલુકાના અન્ય ગામોના ખેડૂતોના પાકને બચાવી શકાય તેમ છે.
જેથી ખરેખર જો ખેડૂતોની આવક બમણી નહીં પણ તેના કરેલા ખર્ચ અને માલધારીઓના માલઢોર બચાવવાની સંવેદનશીલતા આ સરકારમાં હોય તો, પળવારનો વિલંબ કર્યા વગર પાણી છોડી દેવું જોઈએ અને વાસ્તવિક ખેડૂતોના પાક બચાવવા માટે પાણી આપવા આમઆદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ વશરામભાઈ રાઠોડે રજૂઆત કરી છે. જો ૧૫ દિવસમાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો તમામ ખેડૂતો અને માલધારીઓની સાથે ફલ્લા મુકામે જન સંમેલન બોલાવી પાણી માટે જનસત્યાગ્રહ કરવામાં આવશે તેવી ચિમકી પણ આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial