Advertisement
Author: નોબત સમાચાર

નાઘેડીમાં ગુરૂકૂળના ગેઈટ પાસેથી બેશુદ્ધ હાલતમાં મળી આવેલા યુવાનનું થયું મૃત્યુ

પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું:

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: જામનગરના નાઘેડી ગામ પાસે સ્વામીનારાયણ ગુરૂકૂળના ગેઈટ નજીકથી શનિવારે રાત્રે બેશુદ્ધ હાલતમાં મળી આવેલા એક યુવાનનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. આ યુવાન નશો કરી ગમે ત્યાં સુઈ જતાં હોવાની તેમના ભાઈએ કેફિયત આપી છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા નાઘેડી નજીકના સ્વામીનારાયણ ગુરૂકૂળ પાસેથી શનિવારે રાત્રે નાનજીભાઈ મોહનભાઈ જાદવ (ઉ.વ.૪૫) નામના કોળી યુવાન બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા હતા. તેઓને ૧૦૮ મારફત સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ યુવાનનું સારવાર દરમિયાન વહેલી સવારે મૃત્યુ નિપજ્યું હતું. તેમના મોટાભાઈ ભીખુભાઈ જાદવે પોલીસને જાણ કરી છે. તેઓના જણાવ્યા મુજબ નાનજીભાઈ દારૂનો નશો કરવાની આદત ધરાવતા હતા અને નશો કર્યા પછી ગમે ત્યાં સુઈ જતા હતા. તે દરમિયાન શનિવારે રાત્રે ગુરૂકૂળના ગેઈટ સામે તેઓ નશાની હાલતમાં સુઈ ગયા પછી મૃત્યુ પામ્યા છે. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh