Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રમિકને વળતર નહીં ચૂકવનાર
જામનગર તા. ૩૧: જામનગરમાં શ્રમિકને વળતર નહીં ચૂકવનાર કારખાનેદારની વહીવટી કસ્ટડી ૧૦ દિવસ સુધી વધારવામાં આવી છે, જો કે તેના ભોજન, મેડિકલની વ્યવસ્થા કરવામાં આવી છે.
જામનગરના કનસુમરા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ એક કારખાનામાં કામ કરતા સમયે શ્રમિક લલીબેન રામસ્વરૂપ જાદવનો હાથ મશીનમાં ફસાઈ જતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી.
આ અંગે શ્રમિક દ્વારા કારખાનેદાર પાસેથી વળતર મેળવવા મજૂર અદાલતમાં કેસ કરવામાં આવતા મજૂર અદાલતે રૂ. ૧૦ લાખથી વધુ રકમની ચૂકવણીનો આદેશ કર્યો હતો, પરંતુ તે રકમ ચૂકવવામાં નહીં આવતા મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યાંથી પણ વળતર ચૂકવવાનો આદેશ યથાવત્ રાખવા હુકમ થયા પછી પણ કારખાનેદારે વળતર નહીં ચૂકવતા તેને વહીવટી કસ્ટડીમાં લેવા હુકમ થયો હતો. આથી કારખાનેદાર અતુલ મેંદપરાને વહીવટી કસ્ટડીમાં લેવાયો હતો. પ્રાંત કચેરીના એક રૂમમાં બંધ કરી દરવાજે તાળુ મારી તેના ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ પછી ગઈકાલે કારખાનેદારને જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સમક્ષ રજૂકરાયો હતો અને તેના વધુ ૧૦ દિવસના વહીવટી કસ્ટડીમાં રાખવા આદેશ થયો છે.
જ્યાં તેના ભોજન અને મેડિકલની નિયમિત સેવા આપવા પણ જણાવાયું છે. જો આ દસ દિવસ દરમિયાન પૈસા ચૂકવી દેવામાં આવે તો તેને મુક્ત કરવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial