Advertisement
Author: નોબત સમાચાર

સંરક્ષક દળોમાં ભરતી માટે ત્રીસ દિવસીય નિઃશુલ્ક નિવાસી તાલીમઃ મુદ્દત લંબાવાઈ

તા. ૧૦ ઓક્ટોબર સુધીમાં અરજી કરી શકાશેઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૨૬ ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ દરમ્યાન આર્મી / એરફોર્સ / નેવી / અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક / માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ચાલુ વર્ષે યુવાનોના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન આગામી સમયમાં સત્વરે કરવામાં આવનાર છે.

આ તાલીમમાં જોડાવા ઈચ્છુક દેવભૂમિ દ્વારકા જિલ્લાના ફકત પુરૂષ ઉમેદવારો પાસેથી જિલ્લા રોજગાર વિનિમય કચેરી-દેવભૂમિ દ્વારકાને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંકની પાસબુક, આધારકાર્ડ, બે પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ૨૦-૯-૨૫ સુધીમા સ્વખર્ચે પોતાની સંમતી આપી જવા જણાવાયું હતું, જે તારીખ ૧૦-૧૦-૨૫ સુધી લંબાવવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh