Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાંથી ત્રણ એમ્બ્યુલન્સ ૧૦૮ સ્ટાફને સેવા માટે ફાળવી દેવાઈ

હજુ પણ વધુ બે એમ્બ્યુલન્સ આગામી સમયમાં ફાળવાશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: રાજ્યની સરકારી હોસ્પિટલો પાસે વધારાની રહેલી એમ્બ્યુલન્સોને ૧૦૮ ને જનસેવા માટે ફાળવી આપવા સરકારે આદેશ કર્યો છે. જેના અનુસંધાને જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલ માંથી ત્રણ એમ્બ્યુલન્સો ફાળવી દેવામાં આવી છે. તેમજ આગામી દિવસોમાં વધુ બે એમ્બ્યુલન્સો ફાળવવામાં આવનાર છે.

અકસ્માત અથવા તો ઈમરજન્સીના સમયે દર્દીઓને ઘરેથી હોસ્પિટલ લાવવા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો લાભ હાલમાં લોકોને મળી રહ્યો છે. પરંતુ દર્દીઓની સંખ્યા વધુ રહેતી હોવાથી ૧૦૮ એમ્બ્યુલન્સની ઘટ પડી રહી છે. આથી ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાને મજબૂત બનાવવા માટે હવે સરકારી હોસ્પિટલોમાં ડ્રાઈવરોની અછત ના કારણે અથવા તો વધુ એમ્બ્યુલન્સ હોય એના કારણે ફાજલ પડી રહેતી અથવા તો બિન ઉપયોગી રહેતી આવી એમ્બ્યુલન્સ ૧૦૮ ને સેવા માટે ફાળવણી કરી આપવા સરકારે આ સૂચના આપી હતી. જેના અનુસંધાને જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલની કુલ પાંચ એમ્બ્યુલન્સની ૧૦૮ માટે ફાળવણી કરવાની થાય છે. તેમાંથી ત્રણ એમ્બ્યુલન્સ સોંપી દેવામાં આવી છે, જ્યારે આગામી દિવસોમાં વધુ બે એમ્બ્યુલન્સની સોંપણી કરવામાં આવનાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh