Advertisement
Author: નોબત સમાચાર

અમરેલીના ભાજપ પ્રમુખ ચેતન ધાનાણી સામે કડક પગલાં લેવા જામનગરમાં 'આપ'નું આંદોલન

જાતિવાચક શબ્દો સાથે મારી નાખવાની ધમકી આપનાર

                                                                                                                                                                                                      

જામનગર તા. ૪: જાતિ આધારિત અપમાન, પ્રાણભયની ગંભીર ધમકી, જાહેર શાંતિ ભંગ અને સમાજમાં દ્વેષ ફેલાવવાના ગુનામાં કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના જામનગર જિલ્લાના અનુ.જાતિ વિભાગના પ્રમુખ દિલીપભાઈ વી. રાઠોડએ જામનગર જિલ્લા પોલીસ વડાને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે, અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ચેતન ધનાણીએ જાહેર સ્થળે અને સોશિયલ મીડિયામાં આપેલા નિવેદન અંગે તેની સામે કડક પગલાં લેવા જોઈએ. તેણે 'આપ'ના કાર્યકર રમેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી છે.

જાતિ આધારિત અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો છે. મહિલા વિશે પણ અસ્લીલ ભાષાનો ઉપયોગ કર્યો છે. ભડકાવનાર કૃત્ય કર્યું છે.

'આપ'ના રાષ્ટ્રીય નેતા અરવિંદ કેજરીવાલ વિશે પણ હલકા શબ્દનો ઉલ્લેખ કર્યો છે. કાયદો-વ્યવસ્થાને પડકારતું નિવેદન કરવામાં આવ્યું છે.

આથી ભાજપના ચેતન ધનાણી (અમરેલી) સામે ફોજદારી ફરિયાદ નોંધવી જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh