Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચારેક મહિના પહેલાંની માથાકૂટના કારણે
જામનગર તા. ૩૦: જામનગરના વાઘેરવાડામાં ગઈકાલે સવારે એક યુવાન પર બે શખ્સે તલવાર-પાઈપથી હુમલો કરી માર માર્યાે હતો. ચારેક મહિના પહેલાં થયેલી માથાકૂટનો ખાર રાખી હુમલો કરાયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
જામનગરના વાઘેરવાડા વિસ્તારમાં આવેલા બાલમંદિર પાછળ રહેતા અને ગેરેજનું કામ કરતા આફતાબ ઝાકીરભાઈ જખરા ગઈકાલે સવારે પોતાના ઘરેથી ગેરેજ તરફ જવા માટે નીકળ્યા હતા.
આ વેળાએ ત્યાં તલવાર સાથે ધસી આવેલા અલતાફ ઈકબાલ ગંઢાર અને ઝાકીર ઈસ્માઈલ કકલ નામના બે શખ્સે હુમલો કર્યાે હતો. ચારેક મહિના પહેલાં આફતાબ તથા અલ્તાફ વચ્ચે માથાકૂટ થઈ હતી. તેનો ખાર રાખી અલ્તાફ તલવાર સાથે અને ઝાકીર પાઈપ સાથે રાખી ધસી આવ્યા હતા. આ શખ્સોએ માર મારતા ઘવાયેલા આફતાબને સારવારમાં ખસેડાયો છે. તેની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial